રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, આગામી ચોવીસ કલાકમાં તાપમાન હજુ વધવાની શક્યતા

SHARE:

gujarat-breaking-news-13-april-2026-heatwave-dwarka-action

રાજકોટઃ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર સાધ્યું નિશાન

રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઉપલેટાના કોલકી ગામમાં સુરત હવાલાકાંડ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે હારના ભયથી ભાજપ ચૂંટણી જીતવા માટે તંત્રનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપે અન્ય પક્ષના ઉમેદવારને ખરીદવા માટે ઓફર આપી હતી. ઈસુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો કે ભાજપના નેતાઓ પાસે આટલા નાણાં ક્યાંથી આવે છે અને દાવો કર્યો કે તેમના પાસે કરોડો રૂપિયા આંગડિયા મારફત આવ્યા છે.

રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે, જ્યારે 24થી 26 એપ્રિલ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 26 તારીખે ચૂંટણીના દિવસે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો છે, તેમજ બપોરના સમયે હીટવેવની શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ’ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

મોરબીઃ નાની વાવડી ગામે વ્યાજખોરનો આતંક

મોરબી જિલ્લાના નાની વાવડી ગામે વ્યાજખોરના આતંકની ઘટના સામે આવી છે, જ્યાં રૂપિયાની ઉઘરાણીના મામલે એક દુકાન બંધ કરાવાતા પરિસ્થિતિ ગરમાઈ ગઈ હતી. મહેશ નામના વ્યાજખોર દ્વારા મહિલાની દુકાન બંધ કરાવવામાં આવતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન બનેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદમાં ઈન્ફ્લૂએન્સરને જાહેરાત કરવી ભારે પડી

અમદાવાદમાં ઈન્ફ્લૂએન્સરને જાહેરાત કરવી ભારે પડી. જાણીતા ઇન્ફ્યુલેન્સર પાર્થ પરમાર , ફિંગર ટિપ્સ નામની કંપનીના CEO સુનિલ પુરોહિત સહિતના લોકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ. સી.જી રોડ વાઘબકરી ટી સામે જાહેરાત કરવા માટે એક થાર ગાડી તથા ટુવ્હીલરનો ખોટો અકસ્માત કરીને લોકોમાં ભય ઉભો કરીને રીલ બનાવી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને ફિંગરટિપ્સ કંપનીના CEOએ આ મામલે માફી માગી અને બીજી વખત આવી ભૂલ ન કરવાની ખાતરી આપી..

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz