AAPમાંથી રાજીનામું આપનાર રાજૂ કરપડાને ભાજપમાં જોડાવવા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું આમંત્રણ

SHARE:

  1. AAPમાંથી રાજીનામું આપનાર ખેડૂત અગ્રણી રાજૂ કરપડાને, ભાજપમાં જોડાવવા માટે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આમંત્રણ પાઠવ્યું છે. રાજુભાઇએ ક્યાં કારણોસર રાજીનામું આપ્યું તેની મને ખબર નથી તેમ વરમોરાએ જણાવ્યું હતું. રાજુભાઇએ પરિવર્તન કરવાનું વિચાર્યું છે તો હું તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપું છું તેમ વરમોરાએ કહ્યું હતું. આજનો દુશ્મન આવતીકાલનો મતદાર છે અને મતદાર કાર્યકર છે, તે ભાજપની વિચારધારા છે. એક કાર્યકર અને પ્રચારક તરીકે હું રાજુભાઇને ભાજપમાં જોડાવવાનું કહું છું. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, ભાજપનો વર્ટિકલ અને હોરીઝોન્ટલ બન્ને તરફ વિસ્તાર થયો છે.

સુરત શહેરના જહાંગીરપુરા અને ડભોલીને જોડતા બ્રિજનો એક તરફનો રસ્તો રાત્રિથી 78 દિવસ માટે કરાશે બંધ

સુરત શહેરના જહાંગીરપુરા અને ડભોલીને જોડતો બ્રિજ રાત્રિથી બંધ થશે. જહાંગીરપુરાથી ડભોલી જતો બ્રિજનો એક તરફનો રસ્તો 78 દિવસ માટે બંધ કરાશે. આ બ્રિજ 2011માં ખૂલ્લો મુકાયો હતો. ટેકનિકલ રિપોર્ટમાં બ્રિજને વધુ રિપેરીંગની જરૂરીયાત હોવાની નોંધ કરવામાં આવી છે. જે તે સમયે બ્રિજ રણજીત કન્સ્ટ્રકશન કંપનીએ બનાવ્યો હતો. પરીક્ષા સમયે બ્રિજ બંધ રહેતા બોર્ડના પરીક્ષાર્થીઓને4-5  કિ.મી.નો ચકરાવો થશે. જહાંગીરપુરા અને ડભોલી બન્ને તરફ રહેતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જનાર હોવાથી આ વિદ્યાર્થીઓએ પણ આગોતરુ આયોજન કરીને ઘરેથી વહેલા નિકળવુ પડશે. વિદ્યાર્થીઓને ચાર-પાંચ કિલોમીટરનો ચકરાવો થનાર હોવાથી સમય વેડફાશે. જો કે પાલિકા દ્વારા પરીક્ષાના ટાળે જ જહાંગીરપુરા બ્રિજ બંધ રાખતા વાલીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']