Strike Breaking News : આજે ભારત બંધ, કર્મચારીઓ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં હડતાળ flop

SHARE:

વર્ષ 2026માં ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને નવા શ્રમ કાયદાના વિરોધમાં દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. 30 કરોડથી વધુ કર્મચારીઓ અને 10 કેન્દ્રીય યુનિયનો આ બંધમાં જોડાયા છે, જેનાથી બેંકિંગ પરિવહન સહિતની સેવાઓ પર અસર થશે.

વર્ષ 2026માં દેશના ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં એક વિશાળ અને દેશવ્યાપી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળ મુખ્યત્વે ભારત-યુએસ ટ્રેડ ડીલ નવા શ્રમ કાયદાઓ અને સરકારની મજૂર વિરોધી ખેડૂત વિરોધી તેમજ કોર્પોરેટ સમર્થક નીતિઓ સામેના વિરોધ સ્વરૂપે યોજવામાં આવી છે. આ બંધમાં કિસાન સંગઠનો સહિત 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સક્રિયપણે સામેલ થયા છે, જે દેશભરમાં વ્યાપક અસર ઊભી કરી રહ્યા છે.

પરિવહન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ સેવાને અસર

હડતાળને કારણે અનેક આવશ્યક સેવાઓ પર ગંભીર અસર થવાની પૂરેપૂરી શક્યતા છે. જેમાં વીજળી, બેંકિંગ સેવાઓ, પરિવહન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ, તેમજ ગેસ અને પાણી પુરવઠા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. વીમા સેક્ટરના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે, તેમનો મુખ્ય વિરોધ વીમા ક્ષેત્રમાં 100% વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) ને મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે છે. આ ઉપરાંત કેટલીક ખાનગી સહિત સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીઓના કર્મચારીઓ પણ આ બંધમાં સહભાગી થયા છે.

ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આ હડતાળ સરકારની એવી નીતિઓનો વિરોધ કરવા માટે છે જે શ્રમિકોના હિતોને અવગણીને કોર્પોરેટ જગતને ફાયદો પહોંચાડી રહી છે. ખેડૂતો પણ મેદાનમાં છે, જેઓ કૃષિ સંબંધિત નીતિઓ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ વિશાળ જનઆંદોલન સરકાર પર તેની નીતિઓની સમીક્ષા કરવા માટે દબાણ લાવી રહ્યું છે અને શ્રમિકો તેમજ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી રહ્યું છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']