સુરતમાં વરસાદી સંકટ વચ્ચે IAS શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

સુરતમાં વરસાદી સંકટ વચ્ચે IAS શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી

સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે IAS અધિકારી શાલિની અગ્રવાલને વિશેષ કામગીરી સોંપી છે. તેઓ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ સાથે સીધું સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખશે. નોંધનીય છે કે શાલિની અગ્રવાલ અગાઉ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કાર્યરત છે. તેમની નિમણૂકથી સંકલન વધુ અસરકારક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કચ્છમાં દબાણખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, સરકારી જમીન કરાઈ ખુલ્લી

કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે પૂર્વ કચ્છ પોલીસે લાલ આંખ કરી છે. રાપરના સોઢા કેમ્પ નજીક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા કરાયેલા દબાણને ડિમોલિશન કરીને આશરે 2 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. ઉપરાંત વિજાપર ગામમાં પણ સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને તંત્રની સંયુક્ત કાર્યવાહીને પગલે દબાણખોરોમાં ફફડાટ ફેલાયો છે.

 

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']