લોકસભામાં વિપક્ષનો કોઈ અવાજ દબાવવામાં નથી આવતોઃ અમિત શાહ

SHARE:

લોકસભામાં વિપક્ષનો કોઈ અવાજ દબાવવામાં નથી આવતોઃ અમિત શાહ

વિપક્ષે, લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાને હોદ્દા પરથી દૂર કરવા માટે રજુ કરાયેલા પ્રસ્તાવ પર કરાયેલ ચર્ચાનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 18મી લોકસભામાં કોંગ્રેસના સભ્યો કલાકો બોલ્યા પણ વિપક્ષના નેતા કેમ ના બોલ્યા. અધ્યક્ષે નથી રોક્યા. પણ ગેરપ્રચાર કરવામાં આવે છે કે અધ્યક્ષ બોલતા રોકી રહ્યાં છે. વિપક્ષના નેતાની પાર્ટી જ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે તેના પર જ વિપક્ષના નેતા કાંઈ બોલતા નથી. વિપક્ષના નેતા નિયમ અનુસાર વિષય પર ના બોલે તો અધ્યક્ષ તેમને રોકે. અપ્રકાશિત પુસ્તકને કોટ ના કરી શકો તેમ રાજનાથસિંહ કહે ત્યારે તેને કોટ કરીને બોલવાનો અધિકાર નથી છતા તેના પર બોલે તો અધ્યક્ષ રોકે.

અધ્યક્ષ સામેના અવિશ્વાસના પ્રસ્તાવ આવ્યો ત્યારથી ઓમ બિરલા ખુરશી પર નથી બેઠાઃ શાહ

વિપક્ષે, લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાને હોદ્દા પરથી દૂર કરવા માટે રજુ કરાયેલા પ્રસ્તાવ પર કરાયેલ ચર્ચાનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અગાઉ ત્રણ વાર અધ્યક્ષને દૂર કરવાનો પ્રસ્તાવ આવ્યો. આ પ્રસ્તાવ આવે ત્યારે અધ્યક્ષ તેમની ચેર પર નથી બેસતા. નિયમ મુજબ 14 દિવસ ઓમ બિરલા અધ્યક્ષની ખુરશી પર નથી બેઠા આ એક મોરલ ગ્રાઉન્ડ કહેવાય. કોંગ્રેસ વખતે અધ્યક્ષ ચેર પર બેસીને લોકસભાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કોંગ્રેસ આજે ઓમ બિરલાને મોરલ ગ્રાઉન્ડની વાત શિખવાડે છે.

ગુજરાત સરકારે, અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો

ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ હાલમાં 32 ટ્રેનસેટ્સ સેવામાં છે. તેમાં વધુ 10 ટ્રેનસેટ્સનો ઉમેરો થવાથી મુસાફરોના પરિવહન માટે ટ્રેનની ફ્રીકવન્સી વધી જશે. સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૂર્ણ થયે સુરત શહેર ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. ગુજરાત રાજ્યમાં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક 108 કિમી સુધી વિસ્તરેલું છે, અને આગામી વર્ષોમાં 190 કિમી સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

વધુ જુઓ