દાહોદ: ગરબાડા ચોકડી ખાતે સાઈન બોર્ડે 3 લોકોનો લીધો જીવ
દાહોદ જિલ્લાના ગરબાડા ચોકડી ખાતે વાવાઝોડા દરમિયાન એક વિશાળ સાઈન બોર્ડ ફંગોળાતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે. ઘટનામાં ગઈકાલે રાત્રે ગંભીર ઈજાઓના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે આજે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ પણ દમ તોડ્યો હતો. અન્ય એક વ્યક્તિ હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના બાદ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સાઈન બોર્ડની ગુણવત્તા તેમજ તેની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.




