ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે બીજો દિવસ છે, જેમાં બપોરે 12 વાગ્યે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. પ્રશ્નોત્તરી દરમિયાન જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા હાથ ધરાશે. ત્યારબાદ બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિનો નવમો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આવતીકાલે ગૃહમાં કુલ બે સરકારી વિધેયકો રજૂ થવાના છે, જેમાં ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક અને સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક પર ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો આજે બીજો દિવસ
Rajkot ki Aawaz
FOLLOW US:
[the_ad id='179']

